પ્રખ્યાત કથાકાર “મોરારીબાપુ ” ની વિદેશ માં ચાલતી કથા માં પોહચ્યાં “UK ના પ્રધાનમંત્રી ઋષિ સુનક” અને બોલ્યા, “જય સિયા રામ “…જુઓ આ વિડીયો
બ્રિટિશ પ્રધાનમંત્રી એવા ઋષિ સુનકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલ મોરારી બાપુની કથા ચાલી રહી હતી ત્યાં તેઓ મુલાકાતે ગયા હતા જ્યા તેઓએ મોરારીબાપુના વ્યાસ પીઠ પર પુષ્પાંજલિ અર્પિત કરીને મોરારી બાપુ વિશે તથા કથા વિશે બે શબ્દો પણ કહ્યા હતા. ઋષિ સુનકે સૌ પ્રથમ માઈક આવતા ‘જય સિયારામ’ નો નારો લગાવ્યો હતો જે બાદ તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતના આઝાદીના આ પર્વ પર મોરારી બાપુની રામ કથામાં ઉપસ્થિત રહયા તે તેના માટે ખુબ સન્માન તથા ખુશી ભરી વાત છે.
ઋષિ સુનકે એક વાત તો એવી કહી દીધી કે સૌ કોઈએ તાળીઓના ગડગડાટ જ બોલાવી દીધા હતા, ઋષિ સુનકે કહ્યું કે “તેઓ અહીં એક પ્રધાનમંત્રીના રૂપથી નહીં પરંતુ એક હિન્દૂ રૂપથી ઉપસ્થિત રહ્યા છે.”તેઓએ આગળ પણ કહ્યું હતું કે તેઓના માટે આસ્થા એક ખુબ વ્યક્તિગત છે કારણ કે આસ્થા તેમના જીવનના દરેક પહેલુમાં માર્ગદર્શન કરતી હોય છે. આ બાદ તેઓએ પોતાના પ્રધાનમંત્રીના હોદા વિશે પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બનવું એક સન્માન છે પરંતુ આ પદ સાંભળવું મુશ્કેલ પણ છે કારણ કે તેઓને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવાના હોય છે.
ઋષિ સુનકે પોતાના આ નિવેદન દ્વારા એમ પણ જણાવ્યું કે ચાંસલરના રૂપથી તેઓના કાર્યાલયમાં 11 ડાઉનીંગ સ્ટ્રીટ બહાર દિવાળીના તહેવાર પર દીવા સળગાવાની વાત થી લઈને તેઓ પોતાના દેશ પર ગણેશજીની મૂર્તિ રાખે છે તે તમામ વાતોને ઋષિ સુનકે યાદ કરી હતી અને તમામ વાતોને લઈને તેઓને ગર્વ થતો હોય તેવી વાત જણાવી હતી. મોરારી બાપુની કથા વિશે જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમો મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવને લઈને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ભારતીય તિરંગો લહેરાવીને આ ગર્વ અપાવતા દિવસની ઉજવણી કરી હતી.
आज स्वाधीनता दिवस का दिन
ब्रिटेन की कैम्ब्रिज यूनिवर्सिटी में रामकथा
मुरारी बापू से कथा सुनने आए ब्रिटेन के PM
और
पीएम ऋषि सुनक ने गर्व से कहा “जय सिया राम”
अंग्रेजों ने 76 साल पहले सपनें में भी नहीं सोचा होगा कि ऐसा दिन भी आएगा pic.twitter.com/iInBFh3ZVq
— Kapil Mishra (@KapilMishra_IND) August 15, 2023